Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઊંડ-૧ ડેમમાંથી કુલ ૭૦ એમસી એફટી પાણી છોડાતાં કુલ ૧૨ ચેકડેમો છલકાયા

ચેકડેમ ભરવાના કારણે ખેડૂતો ખુશખુશાલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગર તાલુકાના નંદપુર ગામ પાસેના ઉંડ-૧ ડેમમાંથી ભરઉનાળે સિંચાઈ માટે પાણી છોડાતાં ડેમની હેઠવાસના ૧૨ ચેકડેમો છલોછલ ભરાયા છે. બે દિવસ દરમ્યાન  કુલ ૭૦ એમસીએફટી પાણી છોડાયું હતું. અને વિરોધની દહેશત વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પાણી છોડાયું હતું.

જામનગર સિંચાઈ વિભાગ દ્વારા ઊંડ-૧ ડેમમાંથી  બે દિવસના સમયગાળા દરમિયાન ૭૦ એમસીએફટી પાણી છોડાયું છે. અગાઉ પાણી છોડતી વખતે અસરગ્રસ્ત ગામોના ખાતેદારો દ્વારા ઉગ્ર વિરોધ થયો હતો. આથી આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી પાણી છોડાતાં આસપાસના આઠ  ગામના ૧૨ ચેકડેમ છલોછલ ભરાઈ ગયા છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઊંડ -૧ ડેમમાંથી પાણી છોડતાં હેઠવાસના ગામોને સર્તક કરવામાં આવ્યા હતા. જોકે કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાનીના અહેવાલો મળ્યા નથી. અને ઉપરોક્ત ચેકડેમ ભરાવાના કારણે આસપાસના વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ દેખાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh