Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી

ગરમીમાં ઘટાડો થતા શહેરીજનોને રાહતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નજીવા વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી નોંધાયું હતું. તેજીલા વાયરાઓના પગલે જનતાને ગરમીમાંથી રાહત મળી હતી. જામનગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી અને એક ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન પચ્ચીસ ડીગ્રી નોંધાયું હતું. નગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટરીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે ગરમીનું જોર ઓછું રહેતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ ઘટીને ૮૦ ટકા રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh