Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નજીકના ખેડૂતો-રહેણાંક વિસ્તારોના બોર-કૂવા રિચાર્જ થશેઃ
ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયામાં ખામનાથ પાસે ઘી નદી પર પાજનો વર્ષો જુનો ચેકડેમ આવેલો છે. જેની હેઠવાસમાં દાતાઓ દ્વારા સ્મશાન પાસે બીજો પણ ચેકડેમ બનાવવામાં આવેલો જે તૂટી જતા પાણી વેડફાઈ જતું હોય, ખંભાળિયા પાલિકા દ્વારા નયારા કંપનીના પ૦ લાખ રૂપિયાના આર્થિક સહયોગથી આ ચેકડેમનો જિર્ણોદ્ધાર કરવા તથા નદીને ઊંડી ઉતારવાનું કાર્ય શરૂ થયું છે. ખામનાથ પાસે સ્મશાન નજીક બન્ને તરફ માટી કાંપ કાઢીને દીને ઊંડી કરવાનું કાર્ય શરૂ થયું છે તથા બન્ને તરફ પૂર પ્રોટેક્શન દીવાલો પણ બનાવવાનો તથા સ્મશાન તરફ ભરતી કરીને ત્યાં નાનું પાર્કિંગ પણ બનાવાશે.
વર્ષો પહેલા દાતાઓએ બનાવેલો આ ચેકડેમ જે પાણી રોકતા નજીકના ખેડૂતો તથા સોસાયટીવાળાના કૂવા-બોર રીચાર્જ થઈ જતા ત્યારે કેન્દ્ર સરકારની કેચલ રેઈન યોજનામાં પણ આ કાર્ય મદદરૂપ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial