Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવો પુલ ભલે બને, પણ હેરીટેજ બ્રિજ જાળવી રાખવાની લોકલાગણી
ખંભાળિયા તા. ૧૫: ખંભાળિયામાં ઘી નદી પર ખામનાથ પાસે આવેલો રાજાશાહીના સમયનો કેનેડી બ્રીજ કે જે જર્જરીત ગલીને તોડીને નવો કરોડો રૂપિયાના ખર્ચે બનાવવાનો મંજુર થયો છે. ત્યારે હેરીટેજ એવા આ પુલને જર્જરીત સામે સવાલો ઉભા થયા છે.
૧૨૦ વર્ષ પહેલા જયારે સિમેન્ટ લોખંડના હતું ત્યારે આ પુલ પથ્થરથી ચુનાથી બનેલો કમાનવાળો છે જે પૂલ સીંગલ પટ્ટી છે પણ દ્વારકા હાઈવે પરનો નવો નેશનલ હાઈવે પટ્ટી છે પણ દ્વારકા હાઈવે પરનો નવો નેશનલ હાઈવે બનતા અહીંથી ડાયવર્ઝન કાઢતા ૬૦/૭૦ ટનના ટ્રકો ટ્રેલરો પવનચકકીના ટ્રેલરો અહીંથી નીકળી ગયા હતા મહિનાઓ સુધી અને અનેક વખત આ પૂલની નીચે ૨૦-૨૪ કે ૩૦ ફુટ ઉંડા પૂર નીકળી જવા છતાં પુલ અડીખમ છે ત્યારે માણસને પણ ચાલવું ભયજનક ગણીને પુલ બંધ કરાયો છે જેના પર રોજ હજારો બાઈક સવાર છીડાવાળા રસ્તે જાય જ છે !!
નવો પૂલ ભલે બનાવે પણ આ હેરીટેજ પૂલ તેમજ ડાબી બાજુમાં નવો બનાવી શકાય અને પ્રાચીન ઈજનેરી કૌશલ્યના નમૂના સમાન આ પૂલને હળવા વાહનો ટુ વ્હીલર, લોકોને ચાલવા રાખી શકાય તે માટે ટેસ્ટીંગ ફરીથી કરવા પણ લોકોની માંગણી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial