Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા

જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાનું દર વર્ષે જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે.

શ્રી પરશુરામ જયંતી નિમિત્તે આગામી શોભાયાત્રાના આયોજન માટે તારીખ ૧૩ને રવિવારે રાત્રે ૯-૩૦ કલાકે દયાશંકર બ્રહ્મપુરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શહેર પ્રમુખ આશિષ જોષી, સૌ.-કચ્છ બ્રહ્મ સમાજના કારોબારી સભ્ય નયન વ્યાસ, શહેર બ્રહ્મ સમાજના મહામંત્રી હિરેન કનૈયા, જિલ્લાના મહામંત્રી ભાસ્કર જોષી, સમાજના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ મનિષાબેન સુંબડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, શહેરના મહામંત્રી વૈશાલીબેન જોષી, જિલ્લાના મહામંત્રી મીનાબેન જ્યોતિષિ, ઉપરાંત યુવા પાંખના જસ્મિન ધોળકિયા, ચિરાગ અસ્વાર, જનક ખેતિયા અને વિમલ જોષીની ઉપસ્થિતિમાં આયોજીત આ બેઠકમાં મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. તેમજ આગામી શોભાયાત્રા ભવ્યાતિભવ્ય બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં વિશાળ સંખ્યામાં બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો-બાળકો જોડાયા હતાં. ઉપસ્થિત તમામે એક અવાજે શોભાયાત્રામાં તન-મન-ધનથી સહકાર આપવાની ખાતરી આપી હતી. સમગ્ર શોભાયાત્રાનું સૂકાન મહિલાઓને સોંપવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh