Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાચ્છુ ગામે ધારાસભ્ય પબુભા માણેકે પ્રતિમાને કર્યા ફૂલહારઃ
ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા ડો. આંબેકર જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આંબેડકર જયંતીની પૂર્વ સંધ્યાએ તેમની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી તથા દીપ પ્રાગટ્ય કરાયું હતું. તેમની જન્મ જયંતીના દિને ડો. આંબેડકરની પ્રતિમાને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, રાજુભાઈ સરસિયા, ભરતભાઈ ગોજિયા, કશ્યપભાઈ ડેર, લખુભાઈ ચાવડા વગેરેના હસ્તે ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. ખંભાળિયા તાલુકાના કેશોદ તથા અન્ય ગામોના ૭૦ જેટલા ભાઈઓ-બહેનો કચ્છ સુધી ધર્મયાત્રાએ જતા ભાજપના આગેવાનોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
વાચ્છુ ગામે ધારાસભ્ય પબુભા માણેકે ડો. આંબેડકરની છબિને ફૂલહાર અર્પણ કર્યા હતાં. જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial