Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેરોલ મેળવી થઈ ગયો હતો પલાયનઃ
જામનગર તા.૧૫ : જામનગરના એક અપહરણ તથા હત્યાના ગુન્હામાં સંડોવાયા પછી જેલમાં રહેલો એક શખ્સ પેરોલ મેળવી પોબારા ભણી ગયો હતો. તેને પેરોલ ફર્લો સ્કવોડે રાજકોટ શહેરમાંથી પકડી પાડ્યો છે.
જામનગરના ગુલાબનગર સામે મોહનનગરમાં વસવાટ કરતા અને હાલમાં રાજકોટના રહેવાસી શુભમ નિલેશભાઈ પરમાર ઉર્ફે સચિન નામના શખ્સ સામે બે વર્ષ પહેલાં અપહરણ તથા હત્યાનો એક ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હાના સહઆરોપી શુભમ પરમારની ધરપકડ કરાઈ હતી. તે પછી આ શખ્સ કાચા કામના કેદી તરીકે જેલમાં રહેલો હતો.
તે દરમિયાન આ શખ્સે ગયા ડિસેમ્બર મહિનામાં સાત દિવસ માટે વચગાળાના જામીન મેળવ્યા હતા. તેણે ત્રણ જાન્યુઆરીએ જેલમાં હાજર થઈ જવાનું હતું પરંતુ આ શખ્સ ફરાર થઈ ગયો હતો. તેની ચાલી રહેલી શોધખોળમાં પેરોલ ફર્લો સ્કવોડે રાજકોટમાંથી તેની અટકાયત કરી લીધી છે. આ શખ્સને ફરીથી જામનગરની જેલમાં મોકલી દેવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial