Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માતના પગલે ટ્રાફિક અવરોધાયોઃ મોટરચાલક સામે કરાઈ ફરિયાદઃ
જામનગર-ખંભાળિયા માર્ગ પર નાઘેડી પાસે ગ્રીનવીલા સોસાયટી નજીક ગઈકાલે ત્રણ વાહન ટકરાઈ પડતા ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે. અકસ્માત સર્જનાર મોટરના ચાલક સામે ફરિયાદ થઈ છે. જામનગર-કાલાવડ રોડ પર આવેલા ઠેબા ગામ સ્થિત આંબેડકરવાસમાં રહેતા કૌશિકભાઈ અશોકભાઈ મકવાણા ગઈકાલે બપોરે ખંભાળિયા રોડ પર ગ્રીનવીલા સોસાયટી નજીકથી જીજે-૧૦-ટીવાય ૭૧ નંબરના બોલેરો માલવાહક વાહનમાં જતા હતા અને ધીરજભાઈ ગોવિંદભાઈ મકવાણા જીજે-૩૩-બી ૯૬૨૬ નંબરની ટ્રોલી સાથેનું ટ્રેક્ટર લઈ પસાર થતા હતા. આ વેળાએ પાછળથી ધસી આવેલી એમએચ-૪૩ સીએ ૨૦૧૬ નંબરની રેન્જ રોવર મોટરના ચાલકે ટક્કર મારતા ટ્રોલી અને ટ્રેક્ટર ગોથું મારી ગયા હતા. અકસ્માતમાં ધીરજભાઈને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે કૌશિકભાઈના માલવાહક વાહનમાં નુકસાન થયું છે અને મોટરમાં ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યક્તિને ઈજા થઈ છે. કૌશિકભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial