Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પંજાબ બેંકમાં અરજદારો ઉમટી પડતા ભારે હોબાળો

અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૃઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ જામનગરની પંજાબ બેંકમાં આજથી અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે, પરંતુ ભારે ગીર્દી હોવાથી બેંકમાં અફરાતફરીનો માહોલ જોવા મળતો. અરજદારો કરતા રજિસ્ટ્રેશન ઓછું થતું હોવાથી હોબાળો મચી જવા પામ્યો હતો.

પ્રતિવર્ષ અમરનાથજી યાત્રા યોજાય છે. તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જામનગરમાં આજથી પંજાબ બેંકમાં રજિસ્ટ્રેશન કામગીરીનો પ્રારંભ થયો છે.

જામનગરમાં દરરોજ માત્ર રપ લોકોની જ નામનોંધણી થાય છે. જ્યારે આજે પ્રથમ દિવસે જ ર૦૦ થી રપ૦ લોકો રજિસ્ટ્રેશન માટે આવ્યા હતાં.

આમ માત્ર રપ લોકોનું જ રજિસ્ટ્રેશન થતું હોય, જે સંખ્યા ઘણી ઓછી છે. આથી ક્વોટાની સંખ્યા વધારવાની ખાસ જરૂર છે. આજે પણ અરજદારોની સંખ્યા વધુ હોવાથી બેંકમાં હોબાળો મચી જવા પામ્યો હતો.

આ ઉપરાંત બેંકમાં મહિલા-પુરુષો માટે અલગ લાઈનની વ્યવસ્થા નથી. આથી માથાકુટો થઈ રહી છે. સતવરે રજિસ્ટ્રેશનનો ક્વોટા વધારી વ્યવસ્થા સુધારવી જોઈએ તેવી લોકમાંગણી ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh