Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અષાઢીબીજની ઉજવણી અંતર્ગત
દ્વારકા તા. ૧૫: દ્વારકા નજીક સુવર્ણ તીર્થમાં આવેલ અને ભગવાન શ્રીકૃષ્ણના જગન્નાથ સ્વરૂપના પ્રાકટય સ્થાન ગણાતા જગન્નાથજી, મંદિરે દર વર્ષે અષાઢી બીજના રોજ હાંડી ઉત્સવ મનાવવામાં આવે છે. દ્વારકાના સુવર્ણતીર્થમાં ગુરૂવાર તા. ૧૬-૭-૨૦૨૬ના હાંડી ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. મંદિરના મહંત બજરંગદાસ બાપુના જણાવ્યાનુસાર ગુરૂવારે સવારે ૬:૩૦ કલાકે મંગલા દર્શન થશે. દિવસ દરમ્યાન ઓખામંડળ અને હાલારતીર્થમાંથી આવતા મહિલા દર્શનાર્થીઓ દ્વારા સવારથી જ સાંજ સુધી ભજન-કીર્તન અને હાંડી ઉત્સવની ઉજવણી કરાશે.
આ ઉત્સવમાં દ્વારકા તીર્થક્ષેત્રની આસપાસના સંસ્કૃત વિદ્યાલયોના ઋષિકુમારો પણ જોડાશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરશે. હાંડી ઉત્સવની વિશેષતા એ છે કે સાત હાંડીમાં નીચેની હાંડી પ્રજવલિત કરવામાં આવે છે જેની જયોત ઉપરની હાંડી સુધી પહોંચે છે. બપોરે પ્રસાદીરૂપ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial