Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી ગીતા વિદ્યાલયમાં પુસ્તિકા વિમોચનનો કાર્યક્રમઃ
જામનગર તા. ૧૧: જામનગરના કે.વી. રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મંદિર સંલગ્ન શ્રી ગીતા વિદ્યાલયમાં તા. ૧૫-૧૨ને રવિવારે સાંજે ૫:૩૦ થી ૭ દરમિયાન પુસ્તિકા તથા હરીશભાઈ હરખાણી દ્વારા તૈયાર કરવામાં આવેલી ગીતાજી આધારીત સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં 'નોબત' તા. ૦૪-૧૨ના પ્રકાશિત ગીતાજી આધારીત શબ્દ વ્યૂહરચનાના વિજેતાઓને સન્માનીત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ગીતા ચિન્તનિકા નામની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર (બેડી ગેઈટ)ના મહંત સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ ઉપસ્થિત રહેશે.
અતિથિવિશેષ તરીકે 'નોબત' પરિવારના દર્શકભાઈ માધવાણી, વી.એમ. મહેતા કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ દિલીપભાઈ આશર, મહિલા કોલેજના પ્રાધ્યાપક અનિલભાઈ દ્વિવેદી, પીટીસી કોલેજ અલીયાબાડાના પૂર્વ શિક્ષિકા કૃષ્ણાબેન અનડકટ વિગેરે ઉપસ્થિત રહેશે. શ્રી ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial