Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃત્યુનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ
જામનગ તા. ૧૧: જામનગરના મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાંથી ગઈકાલે પોલીસને પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તેણીના મૃત્યુનું કારણ જાણવા મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ આદરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં ગઈકાલે બપોરે એક બંધ મકાનમાં મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની વિગત મેઘપર પોલીસને આપવામાં આવતા મેઘપરથી પોલીસ સ્ટાફ ધસી ગયો હતો.
ત્યાં આવેલા એક બંધ મકાનને ખોલાવી અંદર જઈ પોલીસે જોતા અંદરથી પરપ્રાંત માંથી આવીને રહેતા મહિલા બેભાન જેવી હાલતમાં જોવા મળ્યા હતા. તેઓને ચકાસાતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પીએમ માટે ખસેડયો છે અને આ મહિલાના અન્ય સગા તથા સંબંધીઓની શોધ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial