Advertisement
Author: નોબત સમાચાર

સાતરસ્તા પાસે રાખેલી ત્રણ બસમાંથી છ બેટરીની ઉઠાંતરી

અજાણ્યા તસ્કર સામે કરાઈ રાવઃ

જામનગર તા. ૧૧: જામનગરના સાતરસ્તા નજીક વીજ કંપનીની કચેરી પાસે એક આસામીની રાખવામાં આવેલી ત્રણ બસમાંથી કોઈ શખ્સ છ બેટરી કાઢી ગયા છે.

જામનગરના પટેલકોલોની વિસ્તારની શેરી નં.૯ના છેવાડે આવેલા શાંતિનગરની શેરી નં.૪માં રહેતા જયપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ નામના આસામીની ત્રણ બસ તેઓએ ગયા ગુરૂવારે રાત્રે સાતરસ્તા નજીક પીજીવીસીએલની કચેરી પાસે રાખી હતી.

બીજા દિવસની સવાર સુધીમાં તે બસમાંથી જુદી જુદી કંપનીની છ બેટરી કોઈ શખ્સ ચોરી ગયા છે. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂ.૩૦ હજારની બેટરી ચોરીની ફરિયાદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh