Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે કેજરીવાલ

એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાતઃ

નવી દિલ્હી તા. ૧૧: દિલ્હીમાં એકલા જ ચૂંટણી લડવા અને કોંગ્રેસ સાથે ગઠબંધનની સંભાવના નહીં હોવાની કેજરીવાલે જાહેરાત કરી છે.

દિલ્હીમાં ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે બુધવારે પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે આપ દિલ્હીમાં એકલા જ ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ સંભાવના નથી. આ પેહલા એવી જાણકારી મળી હતી કે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન મો સમજુતી અંતિમ તબક્કામાં છે. કોંગ્રેસને ૧પ બેઠકો મળી શકે છે અને અન્ય આઈ.એન.-ડી.આઈ.એ. ગઠબંધન સભ્યોને ૧ કે ર બેઠકો મળી શકેછે. બાકીની બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે ચૂંટણી લડશે.

હવે આપએ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે આઈ.એન.-ડી.આઈ.એ.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ પછી જ આજે કેજરીવાલે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે.

આમ આદમી પાર્ટીએ સોમવારે (૯ ડિસે.)ના તેના ર૦ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, તે પહેલા આપએ તેના ૧૧ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

ઉલ્લેખનિય છે કે, દિલ્હીમાં ર૦૧પ ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૭૦ માંથી ૬૭ બેઠકો મળી હતી, જ્યારે ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી. ખાસ વાત એ છે કે કોંગ્રેસને દિલ્હીમાં એક પણ બેઠક મળી નથી, જ્યારે ર૦ર૦ માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આપને ૭૦ માંથી ૬ર બેઠકો મળી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ૮ બેઠક અને કોંગ્રેસનું તો ખાતું જ ખુલ્યું નહોતું. હવે જોવું એ રહ્યું કે જો આ વખતે પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડે છે તો તેને કેટલી બેઠક મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh