Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજાણ્યું વાહન ઠોકર મારીને નાઠુઃ
જામનગર તા. ૧૧: જામનગર ખંભાળિયા રોડ પર ગોરધનપર નજીક ગઈકાલે સાંજે નગરના એક યુવાનને અકસ્માત નડ્યો હતો. તેમાં ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સરમત ગામ નજીક ગોરધનપર ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે જઈ રહેલા જામનગરના જેઠવા રામદેવસિંહ પ્રતાપસિંહ નામના યુવાનને અકસ્માત નડ્યો હતો.
આ યુવાનના બાઈકને પાછળથી એક વાહને ઠોકર માર્યા પછી રોડ પર પછડાયેલા રામદેવસિંહને બીજુ વાહન ચગદીને નીકળી ગયું હતું. સ્થળ પર હાજર વ્યક્તિઓએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ દોડી આવી હતી. તેમાં આ ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. અકસ્માત સર્જનાર વાહનોની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial