Advertisement
Author: નોબત સમાચાર

ખેત જણસની ટેકાના ભાવે ખરીદીને આવકારતું ભાજપનું કિસાન મોરચા

જામનગર તા. ૧૧: કેન્દ્રિય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણએ જાહેરાત કરી છે કે ખેડૂતની દરેક જણસો પણ કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદ કરશે. આ બાબતને જામનગર મહાનગર ભાજપ કિસાન મોરચાએ આવકારી છે.

સ્વામીનાથને પોતાનો છેલ્લો રિપોર્ટ ઓક્ટોબર ર૦૦૬ માં કેન્દ્રની તત્કાલિન યુ.પી.એ. સરકારને સુપ્રત કર્યો હતો. તેમાં ખેડૂતોની લાભદાયક ભલામણો કરી હતી,  પરંતુ યુપીએ સરકારે તેની અમલવારી માટે કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે કેન્દ્ર સરકારે તમામ જણસો ખરીદવાની જાહેરાત કરી છે.

સરકારના આ નિર્ણયને કિસાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ તાળા, મહામંત્રી ચંદ્રસિંહ વાળા, ઉપરાંત ગોવિંદભાઈ ભારવાડિયાએ આવકાર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh