Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આર્યસમાજ - જામનગર દ્વારા
જામનગર તા. ૧૧: જામનગર આર્ય સમાજ દ્વારા જામનગર શહેર-જિલ્લાની વિદ્યાર્થિનીઓ માટે વકતૃત્વ સ્પર્ધા તા. ૧૮ થી ૨૦ સુધી સવારે ૧૧ વાગ્યે આર્ય સમાજ મંદિર, ખંભાળિયા ગેઈટ બહાર, આર્યસમાજ માર્ગ, જામનગરમાં યોજવામાં આવી છે.
આર્યસમાજ- જામનગરના ૯૭ મા અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૭ મા વાર્ષિકોત્સવ પ્રસંગે આ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૮ ને બુધવારે પ્રાથમિક વિભાગ (ધો. ૬ થી ૮)માં 'નમસ્તેની પરિભાષા' અને 'વિજયની ચાવી' તા. ૧૯ ને ગુરૂવારે માધ્યમિક વિભાગ (ધો. ૯ અને ૧૦)માં 'પંચ મહાયજ્ઞ' 'ધર્મ અને સંપ્રદાય' તા. ૨૦ને શુક્રવારે ઉચ્ચતર માધ્યમિક વિભાગ (ધો. ૧૧ અને ૧૨) માં સમજીએ તો શું છે આર્યસમાજ તથા મૃત્યુ એક સત્ય વિષય પર વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવી છે.
સ્પર્ધાના વિષયને લગતા સંદર્ભ પુસ્તકો સ્પર્ધકોને વિનામૂલ્યે આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતી વિદ્યાર્થિનીઓ પ્રવેશફોર્મ શાળા મારફત મેળવી શકશે અથવા સોમવારથી શનિવાર દરમિયાન સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધીમાં આર્યસમાજ, ખંભાળિયા ગેઈટ બહાર, જામનગરનો સંપર્ક કરવો. વિદ્યાર્થિઓને આ સ્પર્ધામાં ભાગ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial