Advertisement
Author: નોબત સમાચાર

બીજા લગ્ન પછી પત્ની માવતરે ચાલી જતાં યુવાને ઝેરી દવા પી કરી લીધી આત્મહત્યા

હૃદયરોગના હુમલાથી માછીમારનું મૃત્યુઃ

જામનગર તા. ૧૧: ખંભાળિયાના જુવાનગઢ ગામના એક યુવાને ગયા વર્ષે બીજા લગ્ન કર્યા પછી તેમની પત્ની રિસામણે માવતરે ચાલી જતાં માઠું લાગી આવવાથી ઝેરી દવા પી જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે ઓખાના આર.કે. બંદર પર એક માછીમારનું હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે.

ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામમાં રહેતા જયંતિલાલ રમેશભાઈ વાદી (ઉ.વ.ર૮) નામના યુવાને રવિવારે સાંજે ગામની સીમમાં આવેલા દિલીપભાઈ ડાભીના ખેતર પાસે જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

દવાની અસર થવા લાગતા અને કોઈને તેની જાણ થતાં જયંતિલાલને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવાનનું મોડી રાત્રે મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના માતા માલીબેન રમેશ ભાઈએ પોલીસને જાણ કરી છે. તેઓએ પોલીસને જણાવ્યા મુજબ તેમના પુત્રએ ગયા વર્ષે બીજા લગ્ન કર્યા હતા. તે પછી તેમની પત્ની કોઈ કારણથી મનદુખ થતાં માવતરે રિસામણે ચાલી ગઈ હતી. તે બાબતનું માઠંુ લાગી આવતા જયંતિલાલે ઝેરી દવા પી લીધી હતી.

ઓખાના આર.કે. બંદર પર શિવ જેટીમાં માછીમારી માટે આવીને રહેતા મૂળ નવસારી જિલ્લાના ટીંગરા ગામના વતની ગોપાલભાઈ પ્રકાશભાઈ હીંગરા (ઉ.વ.૬ર) નામના વૃદ્ધ તબીયત ખરાબ જવાના કારણે સોમવારે સવારે ગિરજાદેવી નામની બોટની કેબીનમાં આરામ કરતા હતા. તેઓનું ગઈકાલે સાંજ સુધીમાં હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ થયાનું મહેશભાઈ ટંડેલે પોલીસમાં જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh