Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય સભામાં વર્ષ-૨૦૦૪ અને વર્ષ-૨૦૨૪ની સરખામણી દરમિયાન
ખંભાળિયા તા. ૧૧: ખેત પેદાશોની એમએસપીમાં ખાતર અંગે કેન્દ્ર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા રાજય સરકારમાં ટેકાના ભાવે સરકારને ખરીદી કરવી પડે છે કેમકે ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી તો સ્વીકાર કરવો પડયો તે બાબત ખેડૂતોને યોગ્ય ભાવ ના મળતા હોવાનો સ્વીકાર કૃષિમંત્રી કેન્દ્રએ કર્યાનુ ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું.
કોંગ્રેસના સમયમાં પણ એમ.એસ.પી.ની ખરીદી થતી હતી તેનો ભાજપના કૃષિ મંત્રીએ સ્વીકાર કર્યો છે. ૨૦૦૪ની ૨૦૨૪માં સરખામણી કરતા કૃષિમંત્રીએ ભારત સરકારે પૂરતા ટેકાના ભાવો આપ્યા નથી. તે પણ સ્વીકાર્યું છે. ૨૦૧૪થી ૨૪ સુધીમાં ખેત ઉત્પાદન ખર્ચમાં ૫૦૦ ટકા ખેત ઉત્પાદન ખર્ચ વધ્યું છે. ઉત્પાદન ખર્ચમાં આટલા વધારા સામે એમ.એસ.પી.માં ૫૦ ટકા પણ ખેત ઉત્પાદનના ભાવો વધ્યા નથી જો યોગ્ય ભાવ વગર સરકાર ખરીદી કરે તો ખેડૂતોને શો ફાયદો ?
ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી માલની થાય ત્યારે તેમને તેમની મહેનતનું મૂલ્ય પૂરૃં મળે તેવું જોવા પણ રાજય કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial