Advertisement
Author: નોબત સમાચાર

માનવ જીવન સાથે ચેડા કરતા દવાખાના તેમજ લેબોરેટરી સામે પગલાં લેવા માંગ

લોક વિચાર મંચની માંગ

જામનગર તા. ૧૧: સરકારી, ખાનગી હોસ્પિટલો, દવાખાના, લેબોરેટરી દ્વારા થતા ખીલવાડ ઉપર અંકુશ લગાવવા માટે કડક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.

જામનગરના લોક વિચાર મંચના અધ્યક્ષ સદેવંત મકવાણાએ કેન્દ્રિય આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, દર્દીઓ સાથે ખીલવાડ અટકાવવા માટે નિદાનના ભાવ નક્કી કરવા, પાકા બીલ આપવા, ભાવમાં કરાતી લૂંટને અંકુશમાં રાખવા, દવાઓ-રિપોર્ટ સુવાચ્ય અક્ષરો લખવામાં આવે તેવી ફરજ પાડવા, હોસ્પિટલના પાર્કિંગ અને વેઈટીંગ રૂમમાં થયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવા અને આવા બાંધકામને ઈમ્પેક્ટમાં મંજુરી નહીં આપવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

દર્દીનું નિદાન અમુક કિસ્સામાં યોગ્ય લાયકાતવાળા વ્યક્તિ દ્વારા થતુ નથી જે ગંભીર બાબત છે. અમુક હોસ્પિટલ પૈસા કમાવવા નુસ્ખા અપનાવે છે તે બંધ કરાવવા જોઈએ.

કમિશનની લાલચ માટે લેબોરેટરી ટેસ્ટ કરાવાય છે, અને દવા લખવામાં આવે છે. તે બંધ કરાવવું જોઈએ તથા આયુષ્માન કાર્ડના ખોટા ઉપયોગ કરનાર સામે કડક પગલાં લેવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh