Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિરો- ઘરો પર બેફામ હુમલા થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો
જામનગર તા. ૧૧: બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને બંધ કરાવા અને જરૂરી પગલા લેવાની માંગ સાથે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું.
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર બેફામ અત્યાચાર થઈ રહ્યા છે. મંદિર, ઘર ઉપર પણ હુમલા કરવામાં આવે છે. આમ હિન્દુઓના મૌલિક અધિકારીને હનન થઈ રહ્યુ છે. બાંગ્લાદેશમાં સંવિધાનનું ગળુ દબાવાઈ રહ્યું છે. ૧૫૦૦ હિન્દુ શિક્ષકોને નોકરીમાંથી રાજીનામા આપવાની ફરજ પડી છે. ધર્મ પરિવર્તન માટે દબાણ થઈ રહ્યું છે.
બાંગ્લાદેશ સરકાર આવા બનાવો રોકવામાં નિષ્ફળ ગઈ છે. ત્યાંના હિન્દુઓને ન્યાય મળતો નથી.. બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ કરવામાં આવે અને સ્થિતિમાં સુધાર કરવામાં આવે તેવા પગલાં લેવા જરૂરી છે.
જામનગરના વિહિપના અધ્યક્ષ વિજય બાબરીયાની આગેવાનીમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial