Advertisement
Author: નોબત સમાચાર

વડિલ વંદના સહ સ્નેહમિલન સમારોહ

જામનગર સુવર્ણકાર સેવા મંડળ દ્વારા

જામનગર તા. ૧૧: વિસા શ્રીમાળી સોની સમાજના સમસ્ત જ્ઞાતિજનોને જણાવવાનું કે, શ્રી જામનગર વિસા શ્રીમાળી સુવર્ણકાર સેવા મંડળ દ્વારા સમાજના વડિલોને સન્માનવા 'વડીલ વંદના' કાર્યક્રમ તા. રર-૧ર-ર૦ર૪, રવિવારના સાંજે ૬.૦૦ વાગ્યે 'કસરી બાગ', શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજની વાડી, દ્વારકાપુરી રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે.

ઉપરોક્ત વડીલ વંદના કાર્યક્રમમાં સમાજના ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વડીલ અથવા પતિ-પત્ની બેમાંથી કોઈએકની ઉંમર ૭૦ વર્ષ કે તેથી વધુ હોય તો બન્નેના નામ લખાવી શકાશે. વડીલશ્રીની જન્મ તા. ૧-૧ર-૧૯૫૪ પહેલાની હશે તો જ નામ લખાવી શકાશે.

નામ નોંધાવવા તેમજ વધુ વિગત માટે વડીલના જન્મ તારીખ દર્શાવતા કોઈપણ આઈડી પ્રુફની ઝેરોક્ષ નકલ સાથે તા. ૧પ-૧ર-ર૦ર૪ સુધીમાં પ્રમોદભાઈ વડનગરા (મો. ૯૮રપ૧ ૮૬૩૪૭), અજયભાઈ ગોધાવિયા (મો. ૯૯૭૯૯ પર૯પપ), મહેશભાઈ માંડલિા (મો. ૯૯ર૪૭ ૬૧૦૬૪) નો સંપર્ક કરવો, તેમ સેવામંડળના પ્રમુખ હેમંતભાઈ પી. મોનાણીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh