Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના ગીતા વિદ્યાલયમાં પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં ઉજવાયો પ૦મો ગીતા જ્યંતી મહોત્સવ

૫૦મા ગીતા જ્યંતી ૫ર્વે પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં

જોડિયા તા. ૧૧: જામનગર જિલ્લાના જોડિયાધામમાં પૂજ્ય વિરાગમુનિ સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ શ્રી ગીતા વિદ્યાલયમાં પ૦ મો શ્રી ગીતા જ્યંતી મહોત્સવ વિશ્વપ્રસિદ્ધ રામ કથાકાર પ.પૂ. મોરારીબાપુના પાવન સાનિધ્યમાં ઉજવાયો હતો.

આ દિવ્ય અને પાવન પર્વે સૌપ્રથમ ગીતા વિદ્યાલયના બાળકોએ ગીતાજીના પાઠનું ગાન કર્યુ હતું, ત્યારપછી મોરારીબાપુ તથા સંતો અને કથાકાર દ્વારા શ્રી ગીતાજીની આરતી કરવામાં આવી હતી. મોરારીબાપુએ આ તકે પૂજ્યશ્રી વિરાગમુનિજીની ચેતનાને અને લાભુદાદાને વંદન કરીને વિનુભાઈને યાદ કરીને જણાવ્યું હતું કે, 'ધૃતરાષ્ટ્ર' ગીતાનો શ્રોતા છે. બિલકુલ શાંત રીતે ધ્વજા ફરકે છે. ગીતાનું દર્શન કર્યુ. લાભુદાદા પ્રજ્ઞાનો પીપળો હતાં. એક વ્યક્તિ આપણી વચ્ચેથી ગઈ એનું સ્મરણ વારંવાર થાય. જોડિયાએ પણ ગીતાને સાંભળી. કથા યજ્ઞ કરવા એ ગીતામાં જ બતાવ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે કે યજ્ઞ, દાન અને તપ છોડવા નહીં એનો કોઈ દિવસ ત્યાગ ન કરવો. ગીતાના પારાયણ કરતા-કરતા જ ત્યાંથી યજ્ઞ મળે છે. આપણે જે મળે તેનો દસમો ભાગ કાઢવો જોઈએ. ગીતા પારાયણ કરવાથી વ્યક્તિમાં તેજ બહુ આવે છે. ગીતાકાર તો કહે છે કે યજ્ઞમાં ભોજન થવું જોઈએ.'

પૂ. મોરારીબાપુએ આજે પણ ગીતા સંદેશ આપ્યો હતો અને જીવનમાં ગીતાજીનું કેટલું મહત્ત્વ છે, તે અંગે પ્રેરણાત્મક પ્રવચન કર્યુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh