Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે સામાન્ય સભામાં થશે રજૂઆત
જામનગરમાં કાલાવડ નાકા બહારનો પુલ જર્જરિત બન્યો છે. શું તંત્ર દુર્ઘટનાની રાહ જુએ છે? આજે સ્થાનિક કોર્પોરેટર દ્વારા સહી ઝુંબેશ ચલાવાઈ હતી જેને આવતીકાલે સામાન્ય સભા સમક્ષ મુકવામાં આવશે. અને સત્વરે જર્જરિત પુલના સ્થાને નવો પુલ બનાવવાની ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવશે. વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટર અસ્લમ ખીલજી, જેનબબેન ખફી અને સામાજિક આગેવાન હાજી રીઝવાન જુણેજાએ મહાનગર પાલિકાને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું કે, કાલાવડ નાકા બહારનો પુલ પાંચ દાયકા જુનો છે. જે હાલ જર્જરિત બન્યો છે તે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. આથી ત્યાં નવો પુલ બનાવવો જોઈએ, શું તંત્ર મોરબી જેવી કોઈ ઘટનાની રાહ જુવે છે.? છેલ્લા ચાર વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. સામાન્ય સભામાં ખાત્રી અપાઈ હતી અને રોજકામ પણ કરાયુ હતું. પરંતુ કામ શરૂ થયુ નથી આમ મહાનગર પાલિકા પક્ષપાતિ વલણ અપનાવે છે. આથી જ આજે સહી ઝુંબેશ કરવામાં આવી હતી જે સહી સાથેનો કાગળનો જથ્થો આવતીકાલે મળનારી સામાન્ય સભામાં રજૂ થશે. અને જરૂર પડ્યે આંદોલન કરવામાં આવશે. તેવી પણ ચિમકી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial