Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકોના વિકાસ માટે કાર્યાન્વિત જોડિયા તાલુકાની
જામનગર તા. ૧૧: જોડિયા તાલુકામાં આવેલ શ્રી નેસડા પ્રાથમિક શાળા સતત બાળકોના વિકાસ માટે કાર્યાન્વિત હોય છે. શાળાના આચાર્ય ભાવેશભાઈ પનારાના માર્ગદર્શન મુજબ શિક્ષક મિત્રો બાળકો માટે સતત ટીમ વર્કથી કામગીરી કરતા હોય છે. જેમાં બાળકોના અભ્યાસક્રમ, વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ તથા ગુજરાત સરકારની રાજ્ય પરીક્ષા બોર્ડની વિવિધ પરીક્ષાઓની તૈયારી તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને બાળકોને સતત માર્ગદર્શન આપતા હોય છે.
તાજેતરમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી હતી. તેમાં પાંચ વિદ્યાર્થીઓ મેરીટમાં આવેલ છે. જેમાં સોલંકી રોશની હિતેશભાઈની મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનામાં પસંદગી કરવામાં આવી છે. જેમને ધોરણ ૬ થી ૧ર સુધી શિષ્યવૃત્તિ મળશે. તેમજ અન્ય વિદ્યાર્થી ચાવડીયા હિરેન ખોડાભાઈની જ્ઞાનશક્તિ રેસીડેન્સ સ્કૂલ ઓફ એકસલન્સ ધ્રોલમાં ધો. ૬ થી ૧ર સુધી વિનામૂલ્યે સરકારી ખર્ચે અભ્યાસ માટે પસંદગી પામેલ છે. જેમને રહેવા, જમવા અને અભ્યાસનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ સિદ્ધિ બદલ ગ્રામ્ય સરપંચ, શાળાના આચાર્ય અને તમામ શિક્ષક મિત્રોએ બંને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial