Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત્ સપ્તાહમાં ૧રપ ઢોરને પકડવામાં આવ્યા

પ૧ દૂધાળા-વાછરડા ધરાવતી ગાયોને મુક્ત કરાઈઃ

જામનગર તા. ૧ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત્ સપ્તાહમાં ૧રપ ઢોર પકડવામાં આવ્યા હતાં જેમાંથી પ૧ દૂધાળા અને વાછરડા ધરાવતી ગાયોને દંડનીય વસૂલાત કર્યા પછી માલિકને પરત આપવામાં આવી હતી.

જામનગરમાં ટ્રાફિકને અડચણરૃપ રખડતા ભટકતા ઢોરનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ગત્ સપ્તાહ દરમિયાન ૧૧૬ ઢોર અને ૯ ખૂંટિયાને પકડવામાં આવ્યા હતાં તેમાંથી પ૧ દૂધાળા તેમજ વાછરડા ધરાવતી ગાયોને કુલ રૃા. ર લાખ પપ હજારની દંડનીય વસૂલાત કરીને ઢોર માલિકોને પરત કરવામાં આવી હતી. આ ઉપરાંત પંચવટી અને સાધના કોલોની વિસ્તારમાં જાહેરમાં ઘાસચારાનું વેંચાણ કરતા ૧૦ ધંધાર્થીઓ પાસેથી ઘાસની જપ્તિ કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh