Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ચાલતા વિકાસકામોની સાઈટ વિઝીટ લેતા ડીએમસી-ઈજનેર
જામનગર તા. ૧ઃ જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરની બહાર એનિમલ સેલ્ટરહોમ બનાવવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા નાયબ કમિશનર ભાવેશભાઈ જાની દ્વારા સાઈટ વિઝીટ કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાના કમિશનરના આદેશ અનુસાર રણજીતસાગર ડેમ પાસે એનિમલ સેલ્ટરહોમ બનાવવાનું હોય જે સંદર્ભે તાજેતરમાં નાયબ કમિશનર ભાવેશભાઈ જાની દ્વારા આણદાબાવા આશ્રમના મહંત પરમ પૂજય શ્રી દેવ પ્રસાદ મહારાજની સાથે એનિમલ સેલ્ટરહોમ બનાવવાનું હોય જે સ્થળની રૃબરૃ મુલાકાત લેવામાં આવી હતી. આ તકે નાયબ કમિશનર તેમજ મહંતના માર્ગદર્શન મુજબ તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરવા સિવિલ શાખાના ઈજનેર તેમજ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.
જામનગર મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા હોય જેમાં લાલ બહાદુર શાસ્ત્રીનગરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી તેમજ શુભમ રેસીડેન્સીમાં સીસી રોડની કામગીરી પ્રગતિ હેઠળ હોય આ કામગીરીની સિવિલ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ પાઠક દ્વારા સાઈટ વિઝિટ કરવામાં આવી હતી, વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag