Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૃા. ર.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થશે નવું ચેરિટી કમિશનર સંકુલ

કાયદામંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના ૬ સંકુલો માટે કર્ર્ર્યું વર્ચ્યુલ ભૂમિપૂજનઃ

ખંભાળીયા તા. ર૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર.૮૦ કરોડના ખર્ચે ચેરિટી કમિશનર કચેરી બનશે. રાજ્યમાં રૃા. રપ કરોડના ખર્ચે બનનારા ૬ જિલ્લાઓના ચેરીટી કમિશનર સંકુલોનું રાજ્યના કાયદામંત્રીએ વર્ચ્યુલી ભૂમિપૂજન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના છ જિલ્લાઓમાં રપ કરોડના ખર્ચે નવા ચેરિટી ભવનો ચેરીટી કમિશનરની કચેરીઓ શરૃ કરવા આયોજન કરતા રાજ્યના કાયદામંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળીયામાં જિલ્લાના વડા મથકમાં ર.૮૦ કરોડના ખર્ચે નવા ચેરિટી કમિશનર સંકુલનું નિર્માણ થશે.

ગાંધીનગરથી કાયદામંત્રી ઋષિકેશ પટેલ તથા કાયદા સચીવ પી.એમ. રાવલ તથા રાજ્ય ચેરિટી કમિશનર શુકલાની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરાયું હતું. દ્વારકા જિલ્લા ઈન્ચાર્જ કલેકટર ભૂપેશ જોટાણીયા તથા આસી. ચેરીટી કમિશનર એ.એન. પંડ્યા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh