Advertisement
Author: નોબત સમાચાર

વિનામૂલ્યે ચિકિત્સા કેમ્પનું આયોજન

સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા

જામનગર તા. ૧ઃ જામનગરના સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા આગામી તા. પ-૩-ર૦ર૩ ના રવિવારે સવારે ૧૦-૩૦ વાગ્યે મંડળના ક્લિનિકમાં, કે.ડી. કોમ્પલેક્ષ, પાંચમા માળે હરસ, મસા, ભગંદર જેવા રોગો માટે ઓપરેશન કર્યા વગર વિનામૂલ્યે ચિકિત્સા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

હરસ, મસા અને ભગંદર રોગો અતિપીડા આપનાર રોગો છે. આ રોગો ઉત્પન્ન થવાના મુખ્ય કારણો અને આ રોગોને કાબૂમાં રાખવા સ્વસ્થ જીવનશૈલી અને આહાર-વિહાર સંબંધી ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પણ આ કેમ્પમાં આપવામાં આવશે. જે રોગીઓ લાભ લેવા ઈચ્છતા હોય તેઓને ૧૦-૧પ સુધીમાં ક્લિનિકમાં હાજર થવા તથા વધુ માહિતી માટે સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળના સેક્રેટરી મોતિલાલ દાસવાણી (૯૪ર૭પ ૭૪૪૪૧) નો સંપર્ક સાધવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh