Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરાર પાલનના દાવામાં માત્ર છ મહિનામાં થયો આદેશઃ
જામનગર તા.૧ ઃ જામનગરના બેડીબંદર રોડ પર આવેલી અંદાજે ચાલીસેક વર્ષ જૂની એક ઈમારતમાં ક્લિનિક ચલાવતા મહિલા તબીબે જે તે વખતે આ જગ્યાના ન કરી આપવામાં આવેલા દસ્તાવેજ અંગે અદાલતનો આશરો લીધા પછી માત્ર છ મહિનામાં જ અદાલતે તે દાવો મંજૂર કરી મુંબઈની પેઢીને દસ્તાવેજ બનાવી આપવાનો હુકમ કર્યાે છે.
જામનગરના બેડીબંદર રોડ પર વર્ષ ૧૯૭૫માં મુંબઈની એક કન્સ્ટ્રક્શન પેઢીએ સીસી-ડીસી ફલેેટ્સ નામનો પ્રોજેકટ હાથ ધરી તેમાં દુકાનો તથા ફલેટ બનાવવાનું શરૃ કર્યંુ હતું. જે તે વખતે તેના ખરીદદારોને વેચાણ કરાર કરી આપવામાં આવ્યા હતા. તે પછી પેઢીની જામનગર, અંકલેશ્વર અને મુંબઈની ઓફિસો બંધ કરી સંચાલકો ચાલ્યા ગયા હતા.
આ ઈમારતમાં કરારના આધારે ખરીદનારો જગ્યાનો વપરાશ કરતા હતા પરંતુ તેમની પાસે દસ્તાવેજો ન હતા. વર્ષ ૧૯૭૫માં આ વિસ્તારમાં શહેરની બહારનો અને વિરાન ગણાતો હતો તે પછી હાલમાં આ વિસ્તાર વિકસિત છે અને ત્યાં જગ્યાનો ભાવ પણ આસમાને છે. આ બિલ્ડીંગમાં વહાણવટી હોસ્પિટલ નામનું ક્લિનિક ચલાવતા ડો. જમીલાબેન વહાણવટીએ સંચાલકોને નોટીસ પાઠવી કરારનું પાલન કરવા જણાવ્યું હતું. તે નોટીસનો જવાબ નહીં મળતા જામનગરની દીવાની અદાલતમાં કરાર પાલનનો છએક મહિના પહેલા દાવો કરવામાં આવ્યો હતો.
તે દાવામાં જણાવાયા મુજબ સીસીડીસી કન્સ્ટ્રક્શન કંપનીએ વર્ષ ૧૯૭૮માં કરી આપેલા કરારનું પાલન કરી વેચાણ દસ્તાવેજ બનાવી આપવા દાદ માંગવામાં આવી હતી. તે દાવો ચાલવા પર આવતા પ્રિન્સીપાલ સિવિલ જજે ડો. વહાણવટીને તે જગ્યાનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપવા સામેવાળી પેઢીને હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ અનિલ જી. મહેતા, અર્જુનસિંહ સોઢા, ભરત ચુડાસમા, વી.એસ. જાની રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag