Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાયત્રી શક્તિપીઠમાં પાંચમી માર્ચે
જામનગર તા. ૧ઃ ગાયત્રી શક્તિપીઠ-જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ, બી.પી., ડાયાબિટીસ, એક્યુપ્રેશર તથા દંતચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ૦પ૦૩-૨૩ ના સવારે ૯ થી ૧ર ગાયત્રી શક્તિપીઠ, ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ્ પેટ્રોલપંપની પાછળ, સરૃસેક્શન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.
આ દિવસેથી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે તેમજ લાયન્સ ક્લબ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ પણ રાખેલ છે તેમજ દાંતના દર્દી માટે ડો. કાજલબેન પટેલ (બી.ડી.એસ.) તેમની સેવા આપશે, તો ઉપરોક્ત કેમ્પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્તિપીઠ અનુરોધ કરે છે.
દર મહિનાની પ તારીખે નેત્ર નિદાન કેમ્પ નિશ્ચિત હોય છે તેમજ રાજકોટ જનાર દર્દીને શક્તિપીઠમાં જમાડીને મોકલવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag