Advertisement
Author: નોબત સમાચાર

બાકી રકમ વ્યાજ તથા ખર્ચ સાથે ચૂકવવા વેપારીને અદાલતે કર્યાે આદેશ

જામનગર તા.૧ ઃ જામનગરની એક પેઢીએ ઉધારમાં મોકલેલા સામાન સામે રકમ નહીં ચૂકવાતા અદાલતમાં ધા નાખવામાં આવી હતી. અદાલતે બાકી રકમ વ્યાજ તથા ખર્ચ સાથે ચૂકવવા સામેવાળી પેઢીને હુકમ કર્યાે છે.

જામનગરની ભગવતી સ્ટીલ મેન્યુફેક્ચરીંગ નામની પેઢી ભાગીદાર રતિલાલ લીંબાભાઈ રાબડીયા પાસેથી હીર એન્ટરપ્રાઈઝવાળા જીતેન્દ્ર વસંતલાલ કણઝારીયાએ ઉધારમાં માલ ખરીદ્યો હતો. તે સામાન મોકલાવી આપવામાં આવ્યા પછી જીતેન્દ્રએ બાકી રકમ ચૂકવી ન હતી.

તે રકમની વસૂલાત માટે રતિલાલ રાબડીયાએ સમરી દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતાં અદાલતે પાકી રકમ રૃા.૨,૯૧,૪૨૪ ખર્ચ તથા વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. ભગવતી સ્ટીલ તરફથી વકીલ મયુર કટારમલ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh