Advertisement
Author: નોબત સમાચાર

સિનિયર પ્રોફેસર વૈદ્ય અર્પણ ભટ્ટને 'સંગીતમય ઉપચાર' પદ્ધતિના જ્ઞાતા તરીકે સન્માનિત કરાયા

જામનગર તા. ૧ઃ જામનગર સ્થિત રાષ્ટ્રીય આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાનના સ્વસ્થવૃત્ત તથા યોગ વિભાગના સિનિયર પ્રોફેસર વૈદ્ય અર્પણ ભટ્ટને 'સંગીતમય ઉપચાર' પદ્ધતિના જ્ઞાતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.

હિન્દુસ્તાની સંગીતના વિવિધ ઘરાનાઓ પૈકી  ગુજરાતના એકમાત્ર સંગીત ઘરાના તરીકે સુવિખ્યાત 'આદિત્ય ઘરાના'ના ઉપાસકો અને સંગીતમ્ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય નાટ્ય-સંગીત અકાદમીના સહયોગથી જામનગરમાં યોજાયેલા પં. આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત મહોત્સવ કાર્યકર્મમાં સંગીત થકી દર્દીઓની સુશ્રૂષા (મ્યુઝીક થેરાપી)ની સેવાના યશોગાન ગવાયા હતાં. આ ક્ષેત્રે 'ઘરના છોરાં' ડો. અર્પણ ભટ્ટજીનું નામ શિરમોર હોઈ તેઓને સન્માનિત કરાયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય શાસ્ત્રીય સંગીતની ઘરાના પરંપરામાં ગુજરાતના એકમાત્ર આદિત્ય ઘરાનાના સર્જક જામનગરના સંગીતકાર પંડિત આદિત્યરામજી ૨૦૩ વર્ષ પહેલાં થઈ ગયા. વૈદ્ય અર્પણ ભટ્ટજી સંગીતના વાદન ક્ષેત્રના સંવાહક તથા સંવર્ધક રહ્યા છે. આયુર્વેદ હોસ્પિટલમાં તબીબ અને પ્રાદ્યાપકની ફરજની સાથોસાથ તેઓએ સંગીત કળાને કાર્યરત રાખી ઉપચાર પદ્ધતિમાં અમલી બનાવી શ્રેષ્ઠતમ પરિણામો હાંસલ કર્યા છે.

વૈદ્ય અર્પણ ભટ્ટના આ ઉત્તમોત્તમ કલા-કૌશલ્યના સન્માન પ્રત્યે આઈ.ટી. આર.એ.ના નિયામક ડો. અનુપ ઠાકર સહિતના અધિકારી વર્ગે ભૂરી ભૂરી અનુમોદના વ્યક્ત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh