Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના પીઆઈ જગતમંદિર સુરક્ષામાં મુકાયાઃ
ખંભાળિયા તા.૧ ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે પીઆઈ તથા બે પીએસઆઈની બદલીનો ગઈકાલે એસપીએ આદેશ કર્યાે છે. ખંભાળિયાના પીઆઈને જગતમંદિર સુરક્ષા વ્યવસ્થામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં બે પીએસઆઈની નિયુક્તિ થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા નિતેશ પાંડેયે ગઈકાલે બે પોલીસ ઈન્સ્પેક્ટર તથા બે પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલીનો આદેશ કર્યાે છે. જેમાં હાલમાં ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ ડી.એમ. ઝાલાને દ્વારકા મંદિર સુરક્ષામાં મૂકવામાં આવ્યા છે.
જગત મંદિરની સુરક્ષામાં રાખવામાં આવેલા પીઆઈ સી.એલ. દેસાઈને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. ઉપરાંત ભાણવડ પોલીસ મથકના પીએસઆઈ કે.એમ. જાડેજાને ખંભાળિયા તથા પોલીસ કંટ્રોલરૃમમાં ફરજ નિયુક્ત પીએસઆઈ ડી.જી. પરમારને ખંભાળિયા પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.
થોડા સમય પહેલા જ ખંભાળિયામાં પીઆઈ તરીકે ચાર્જ સંભાળનાર ડી.એમ. ઝાલાએ અનેક ગુન્હાઓના ડીટેક્શન કરવા ઉપરાંત વ્યાજખોરો સામે કડક કામગીરી કરી હતી. તે પછી અચાનક જ આ અધિકારીની જગતમંદિર વ્યવસ્થામાં બદલી કરાતા આશ્ચર્ય પ્રસર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag