Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના દરિયામાં માછીમારી કરતી ત્રણ બોટ સામે નોંધાયો ગુન્હો

બેડીના માછીમાર સામે પણ કાર્યવાહીઃ

જામનગર તા.૧ : સલાયાના દરીયામાં માછીમારી કરતી ત્રણ બોટને આંતરી પોલીસે ચકાસણી કરતા તે બોટમાં હોકાયંત્ર અને એનેરોઈડ બેરામીટર ન મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. જ્યારે બેડીના માછીમાર સામે પણ બોટના કાગળ સાથે ન રાખવા અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નજીક આવેલા કાળુભાર ટાપુ પર માછીમારી કરતી ફાતીમા સાગર અને ફૈઝેઅલ નાશર સહિતની ત્રણ ફીશીગ બોટની પેટ્રોલીંગમાં રહેલી સલાયા મરીન પોલીસ સ્ટેશનની ટીમે ચકાસણી કરી હતી. તે તમામ ત્રણ બોટમાં હવામાન જાણી શકાય તે માટેના હોકાયંત્ર અને એનેરોઈડ બેરામીટર ન હોવાનું જણાઈ આવતા ત્રણેય બોટના સંચાલકોને પોલીસે મત્સ્યદ્યોગ અધિનિયમના ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે. જામનગરના બેડીબંદર સ્થિત જૂના બંદર પર ગઈકાલે સાંજે બેડીનો મનસુરઅલી રશીદ ચાવડા નામનો માછીમાર નામ તથા રજીસ્ટ્રેશન નંબર દેખાતા ન હોય તેવી બોટ લઈને આવતા બેડી મરીન પોલીસે તેની સામે પરમીટ ભંગનો ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh