Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં ત્રણ આરોપીની મુક્તિ

બે આસામીએ નોંધાવી હતી ત્રણ ફરિયાદઃ

જામનગર તા.૧૦ : જામનગરના એક મહિલા તથા એક આસામીએ ચેક પરતની અદાલતમાં જુદી જુદી ત્રણ ફરિયાદ કરી હતી. જેમાં બે ફરિયાદના એક આરોપી તથા બીજી ફરિયાદના એક આરોપી નો અદાલતે છૂટકારો કર્યાે છે.

જામનગરના ગુલાબનગર માં રહેતા દયાબેન રતીલાલ વેગડ નામના મહિલાએ મુંબઈની પુરૂષોત્તમ કન્સ્ટ્રક્શન નામની પેઢીના માલિક સામે રૂ.૪ લાખના કુલ બે ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, આ ચેક ફરિયાદી ના જમાઈને વ્યવહાર પેટે અપાયા હતા. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી બંને કેસમાં આરોપીને મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ કે.ડી. ભટ્ટ, ગૌરવ પંડયા રોકાયા હતા.

જામનગરના ઘનશ્યામસિંહ ભરતસિંહ જાડેજા નામના આસામીએ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ સોઢા સામે ટ્રક ભાડાની બાકીની રૂ.૮ લાખની રકમનો ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. અદાલતે આરોપી પક્ષના વકીલ જયેશ સુરડીયા, રાહુલ મકવાણા, વિશાલ વાઘેલા, જાગૃતિબા જાડેજા, લીલા રાઠોડની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh