Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વેપારીએ આપેલા ચેક પરત ફરવાના કેસમાં છ મહિનાની કેદની સજા

મની ટ્રાન્સફર માટે આવતા શખ્સે આપ્યા હતા ચેકઃ

જામનગર તા.૧૦ : જામનગરના એક આસામીએ વેપારી પાસે અવારનવાર કામ કરાવ્યા પછી કેળવાયેલા વિશ્વાસનો લાભ લઈ પૈસા બાકી રાખ્યા હતા અને તેની ચૂકવણી માટે ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાની અદાલતમાં કરાયેલી ફરિયાદ ચાલી જતાં આરોપીને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જામનગરમાં આશાપુરા એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા કાંતિલાલ રમણીકભાઈ પરમારને ત્યાં અવાર નવાર મની ટ્રાન્સફર કરાવવા માટે આવતા રહેતા ચિરાગ અનિલભાઈ વેગડા નામના આસામીએ ગઈ તા.૩-૧૦-૨૨ના દિને કાંતિલાલને જણાવ્યું હતું કે, રૂ.૧ લાખ ટ્રાન્સફર કરી આપો, તમને આવતીકાલનો ચેક આપુ છું તેનો ભરોસો કરી કાંતિલાલે ઉપરોક્ત રકમ ટ્રાન્સફર કરી હતી. તે ઉપરાંત બે દિવસ પહેલાં પણ રૂ.૨૬૩૦૦ ઉધારમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાંથી અમૂક રકમ ચૂકવી રૂ.૧ લાખ ૨૬ હજાર બાકી રાખ્યા હતા.

તે રકમની ચૂકવણી માટે બે ચેક આપવામાં આવ્યા હતા. તે બંને ચેક બેંકમાંથી પરત ફરતા કાંતિલાલે જાણ કરી હતી. તેથી ફરીથી ચેક બેંકમાં રજૂ કરવા કહેવાતા ચેક બેંકમાં મોકલાયા હતા. ત્યાંથી ફરીથી પરત ફર્યા હતા. આ બાબતની અદાલતમાં કાંતિલાલ પરમારે ફરિયાદ નોંધાવ્યા પછી ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી ચિરાગ વેગડાને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh