Advertisement
Author: નોબત સમાચાર

સગીરાને દુષ્કૃત્યનો ભોગ બનાવનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

ભોગ બનનારને રૂ.૪ લાખ વળતર પેટે ચૂકવાશેઃ

જામનગર તા.૧૦ : જામનગરના ગ્રામ્ય પંથકમાં રહેતી એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કૃત્ય ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને અદાલતે ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૪ લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કરાયો છે.

જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રીને થોડા સમય પહેલાં રાહુલ જેઠાભાઈ સાગઠીયા નામનો શખ્સ લગ્ન કરી લેવાની લાલચ બતાવી પોતાની સાથે લઈ ગયા પછી બાવળની ઝાળીઓમાં તે સગીરા પર આ શખ્સે દુષ્કર્મ ગુજાર્યુંં હતું અને કોઈને વાત કરશે તો સગીરાને તેની માતા તથા ભાઈને પતાવી દેવાની ધમકી આપી હતી.

આ બાબતની પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવ્યા પછી પોલીસે આઈપીસી તથા પોક્સો એકટ હેઠળ ગુન્હો નોંધી રાહુલ સાગઠીયાની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોકસો અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી રાહુલ જેઠાભાઈ સાગઠીયાને તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકાર્યાે છે. સગીરાને વળતર પેટે કમ્પેઈન્સેશનમાંથી રૂ.૪ લાખ ચૂકવવામાં આવશે. સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh