Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં રેશન કાર્ડ ઈ-કેવાયસી કામગીરી ઝડપથી કરવા અંગે સૂચના

તાલુકા એલપીજી વિતરકો, પોસ્ટ આફસના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

સલાયા તા. ૧૦: ખંભાળિયા મામલતદાર વી.આર. વરૂ ખંભાળિયા તાલુકાના એલપીજીના વિતરકો તેમજ પોસ્ટ ઓફિસના અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. જેમાં સરકાર દ્વારા જે રેશનકાર્ડમાં ઈ-કેવાયસી બાકી છે એવા રેશનકાર્ડ હોલ્ડરોને ઈ-કેવાયસી કરવા અપીલ કરાઈ હતી. પોસ્ટ વિભાગને પણ આ માટેની સરકારની એપ્લિકેશનના રાઈટ્સ આપેલ છે, જેથી ઈ-કેવાયસી કરવા સુચના આપી હતી. ગેસ એજન્સી દ્વારા દરેક સિલિન્ડર ઉપર પણ સ્ટીકર મારી અને ગ્રાહકોને જાગૃત કરવાનું સૂચન મામલતદાર દ્વારા અપાયું હતું. તેમજ સરકાર દ્વારા ઉજ્જવલા યોજના અંતર્ગત જે ગ્રાહકો પાસે ગેસ કનકેશન છે એમને સરકારની યોજના અંતર્ગત એપ્રિલથી જુન સુધીમાં એક ગેસ સિલિન્ડરના પુરા પૈસા બેંક એકાઉન્ટમાં જમા થાય છે, માટે ઉજ્જવલાના તમામ ગ્રાહકો એપ્રિલથી જુન સુધીમાં એક સિલિન્ડર મેળવી લે એ માટે ગેસ એજન્સીએ ગ્રાહકોને જાણકારી આપવા સૂચનો કરાયા હતાં. રેશનકાર્ડના ઈ-કેવાયસી માટે ખંભાળિયા મામલતદાર દ્વારા ઝડપી કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh