Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા ન.પા.ની નિષ્ક્રીયતાના કારણે રહેવાસીઓએ ગંદા પાણી ઉલેચવા પડયા

સલાયા ગેટ પાસે રહેણાંક મકાનોમાં ગટરના ગંદા પાણી ઘુસતા લોકો પરેશાન

ખંભાળિયા તા. ૧૦: ખંભાળિયામાં સલાયા ગેઈટ પાસેના વિસ્તરમાં ગટરના ગંદા પાણી છલકાતા તથા તેનો નિકાલ નહીં થતાં રસ્તા પર ઉભરાંતા પાણી ગંદકી સાથે નજીકના લોકોના ઘરમાં ઘુસતા આંગણા, ફળિયા તથા ઘરમાં જવાના રસ્તા પર ગટરના છલકતા પાણીમાંથી નીકળવું પડે તેવી સ્થિતિ થતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા હતાં.

ગંદા પાણીનો નિકાલ કરવા પાલિકા તંત્ર સમયસર નહીં આવતા રહીશો ડોલો ભરીને ગંદુ પાણી નિકાલ કરવા મજબુર થયા હતા. ગંદકી અને ગંદા પાણી ઘરમાં પ્રવેશતા રોગચાળો ફેલાવાની દહેશત હોય, તેથી તાકીદે યોગ્ય કરવા આ વિસ્તારના રહીશો ઈકબાલભાઈ સુમરા તથા બીબીબેન સુમરા દ્વારા આક્રોશ વ્યકત કરીને રજૂઆત કરાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh