Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાદવનગર, ડિફેન્સ કોલોની, તિરૂપતિ પાર્ક, દ્વારકાધીશ સોસાયટી સહિત
જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા પાણીની પાઇપલાઇનનું જોડાણ કામ કરવાનું હોવા થી આવતીકાલ તા. ૧૧ ના રવિ પાર્ક ઇ એસ.આર હેઠળ ન અમુક વિસ્તાર માં પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે.
જામનગર મહાનગરપાલિકા ની વોટર વર્કસ શાખા ની યાદી જણાવે છે કે, તા.૧૧-૪-૨૫ ના નવા ફીલ્ટર પ્લાન્ટની મુખ્ય પાઈપ લાઈન સાથે રવિપાર્ક ઈ.એસ.આર માં પાણી પહોંચાડતી રાઈઝીંગ મેન પાઈપ લાઈન સાથે જોડાણ કામ કરવાનુ હોવા થી આવતીકાલ શુક્રવાર તા.૧૧-૪-૨૫ ના રોજ જામનગર શહેર માં પાણી વિતરણ કરતા રવિપાર્ક ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.જેમાં યાદવનગર, ભક્તિનગર, મહાદેવનગર, રાધેક્રિષ્ન પાર્ક, ડીફેન્સ કોલોની, બાલજી ૧,૨ અને ૩, નવી જુની ચાલી, આનંદ કોલોની, ભીંડાવાડી, પુરબિયા ની વાડી, શીવ ટાઉનશીપ, તીરૂપતિ પાર્ક-૨, રાધેક્રિષ્ન સોસાયટી, નિલકંઠ પાર્ક, દ્વારકાધીશ સોસાયટી, તીરૂપતિ પાર્ક-૧, સંગમ સોસાયટી વિગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.
બીજા દિવસે પહેલા બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા ત્યાર પછીના દિવસે રૂટીન લગત ઝોન માં પાણી વિતરણ કરવામાં આવશે, જેની જાહેર જનતા એ નોંધ લઈ ને સહકાર આપવા કાર્યપાલક ઈજનેર, વોટર વર્કસ શાખા, જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial