Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરના સમસ્ત જૈન સંઘો દ્વારા થયું ભવ્ય આયોજન
જામનગરમાં આજે ચૈત્ર સુદ તેરસનાં દિને ભગવાન મહાવીર સ્વામીનાં ૨૬૨૩મા જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે સમસ્ત જામનગરનાં જૈન સંઘો દ્વારા મહારથયાત્રાનું ગુરુ ભગવંતોની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે શેઠજી જૈન દેરાસર ચાંદી બજારથી રથયાત્રા આરંભ થઇ હતી જે પારસધામ, બેડી ગેઇટ, ટાઉનહોલ,લાલબંગલા,જી.જી.હોસ્પિટલ, ડી.કે.વી. સર્કલ થઇ પેલેસ જૈન સંઘ પહોંચી હતી. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા સહિતનાં આગેવાનો તથા જૈન અગ્રણીઓ રથયાત્રામાં જોડાયા હતા. ચાંદીના રથમાં બિરાજેલ પ્રભુ, ઇન્દ્ર ધજા, શાસન ધ્વજ,૧૩ ફૂટના વિરાટ માનવ, બાંધણીના પહેરવેશમાં બહેનો, નૃત્ય કરતા યુવાનો, લાઇવ રંગોલી તથા શાસન પ્રભાવના કરતી અનુકંપાની વાન વગેરે રથયાત્રાને દિવ્યતા આપતી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial