Advertisement
Author: નોબત સમાચાર

નવાણિયા ગામમાં રિલાયન્સ દ્વારા પશુપાલકો માટે ગૌશાળાનું બાંધકામ હાથ ધરાયુઃ ૬૦ ગાયોને આશ્રય

અનંત અંબાણીના જન્મદિને શિલાન્યાસ

જામનગર તા. ૧૦: રિલાયન્સ દ્વારા નિર્માણ પામનાર નવાણિયા ગૌશાળાનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. અનંત અંબાણીના જન્મદિવસે પશુપાલકોને આ ભેટ મળી છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાણિયામાં અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે નવી ગૌશાળાનો શિલાન્યાસ કરાયો હતો. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે નવાણિયાને આ સુવિધા ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છેકે, ફળદ્રુપ જમીન ધરાવતા નવાણિયા ગામના ખેડૂતો માટે વિવિધ પ્રકારના પાકની ખેતી ઉપરાંત પશુપાલન આજીવિકાનો મુખ્ય આધાર છે. અહીંના ગ્રામજનો પેઢીઓથી ખેતી અને પશુપાલન કરે છે.

ગ્રામ પંચાયત અને પશુપાલકોની વિનંતીના આધારે રિલાયન્સ દ્વારા નવાણિયામાં ૫૮૦૦ ચોરસ ફૂટના બિલ્ટ-અપ વિસ્તાર સાથે નવી ગૌશાળાનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે જે ૬૦ થી વધુ ગાયોને આશ્રય આપશે.

શિલાન્યાસ સમારોહમાં શાસ્ત્રી રાજેશ રાજ્યગુરુ, રિલાયન્સના અધિકારીઓ અને ગ્રામજનો  ઉપસ્થિત રહૃાા હતા. બાંધકામ પૂર્ણ થયા પછી આ ગૌશાળા ગ્રામ પંચાયત અને ગ્રામજનોને સોંપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh