Advertisement
Author: નોબત સમાચાર

બર્ધનચોકમાંથી મહાનગરપાલિકાની ટીમે રેકડી, પથારાવાળાનો સામાન જપ્ત કર્યાે

ચોકીનો સ્ટાફ શું કરતો હતો ?

જામનગર તા. ૧૦: જામનગરના બર્ધનચોકમાં રેકડી, પથારાવાળ દ્વારા થતાં દબાણો સામે સમસ્યાનાં કાયમી ઉકેલ માટે ત્યાં ચોકી ઉભી કરવામાં આવી છે. આમ છતાં ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ ગઈકાલે પાંચ રેકડી તથા ૩૦ થી ૪૦ જેટલા પથારાવાળાનો માલ-સામાન કબ્જે લીધો હતો. ત્યારે સાવલ એવો ઉભો થાય છે કે ત્યાં ચોકી ઉભી કરવામાં આવી છે તો આ દબાણો કેવી રીતે થયા ? આ માટે જવાબદાર કોણ ? શું આ બાબતે કોઈ પગલા લેવાશે ખરા ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલલા કેટલાક દિવસથી દબાણ હટાવ ઝુંબેશ ચલાવાઈ રહી છે અને ગેરકાયદે થયેલ બાંધકામો તોડી પાડયા, તેમજ જાહેર માર્ગાે પર ધંધાર્થીઓ દ્વારા થયેલા દબાણો દૂર કરવા વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે એસ્ટેટ શાખા બર્ધનચોકમાં ત્રાટકી હતી અને આશરે ૩૦ થી ૪૦ પથારાવાળઓનો માલ-સામાન તેમજ પાંચ રેકડી કબ્જે કરી હતી. આ સમયે ભારે નાશભાગ થવા પામી હતી. ઉપરાંત એસ્ટેટ શાખાની ટુકડી તથા ધંધાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થવા પામી હતી. જોકે મહાનગરપાલિકાની ટીમે મચક આપી ન હતી અને તમામ માલ-સામાન જપ્ત કરી લીધો હતો.

અહીં સવાલ એવો ઉભો થાય છે કે મહાનગરપાલિકાના કમિશ્નર અને એસ.પી. વચ્ચે બેઠક યોજાઈ હતી અને બર્ધન ચોકની સમસ્યાનાં કાયમી ઉકેલ માટે બર્ધન ચોકમાં ચોકી બનાવી ત્યાં મનપા અને પોલીસનો સ્ટાફ તૈનાત કરવા નિર્ણય લેવાયો હતો. જેની અમલવારી પણ શરૂ થઈ ચુકી છે ત્યારે સવાલ એ છે કે જો ચોકી કાર્યરત હતી તો ગઈકાલે બર્ધન ચોકમાં ધંધાર્થીઓ કેવી રીતે ગયા ચોકીનો સ્ટાફ શું કરતો હતો ? શું કોઈ જવાબદાર સામે ફરજમાં બેદરકારી અંગે પગલા લેવાશે ખરા ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh