Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોહનનગરના યુવાનનું કોઈ રીતે નિપજ્યું મૃત્યુઃ
જામનગર તા.૧૦ : જામનગરના નવાગામ ઘેડ વિસ્તારની મધુરમ સોસાયટીમાં રહેતા એક બાવાજી યુવતીએ ત્રણેક વર્ષ પહેલાં પોતાની સગાઈ તૂટી ગયા પછી અન્યત્ર સગાઈ થતી ન હોવાથી નાસી પાસ થઈ ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. મોહનનગરમાં રહેતા એક યુવાનનું કોઈ રીતે મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાં મંદિર પાસે રહેતા મનોજગીરી છગનગીરી ગોસ્વામી નામના પ્રૌઢની પુત્રી પ્રિયા (ઉ.વ.ર૧)ની ત્રણેક વર્ષ પહેલા સગાઈ કરવામાં આવી હતી. તે પછી કોઈ કારણથી સગાઈ તૂટી જવા પામી હતી.
ત્યારપછી આ યુવતીની અન્યત્ર સગાઈ થતી ન હોવાથી પ્રિયા ચિંતા અનુભવતી હતી. નાસીપાસ થયેલી આ યુવતીએ ગઈકાલે સાંજે પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પ્રિયાબેનને નીચે ઉતારી પરિવારજનોએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ યુવતીને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પિતા મનોજગીરીએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ વી.એન. ગઢવીએ અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામનગરના મોહનનગર આવાસના બિલ્ડીંગ નં.૯માં રહેણાંક નં.૧૦૭માં વસવાટ કરતા અજયભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.રપ) નામના યુવાનને ગઈકાલે સાંજે સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે આ યુવાનના મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial