Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ટાઉનહોલમાં ભગવાન મહાવીર સ્વામીના જીવન આધારિત નાટ્ય પ્રસ્તુતિ

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના શિષ્યા પૂ.પરમ સંબોધીજી મહાસતીજીની નિશ્રામાં મહાવીર જયંતીની ઉજવણી

જામનગરમાં આજે ભગવાન મહાવીર સ્વામીનાં ૨૬૨૩ મા જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના શિષ્યા પૂ.પરમ સંબોધીજી મહાસતીજીની નિશ્રામાં પારસધામનાં ઉપક્રમે ટાઉનહોલમાં એક નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ભગવાન મહાવીર સ્વામીનાં જીવન આધારીત નાટકમાં જીનશાસનનો મહિમા પ્રજ્વલિત થયો હતો. આ તકે કલેક્ટર કેતન ઠક્કર, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, ડો. મનિષ મહેતા, જૈન અગ્રણી નિલેશભાઇ ઉદાણી, જયેશભાઇ મહેતા સહિતનાં મહાનુભાવો - અતિથિઓ ઉપસ્થિત રહૃાા હતાં. ટાઉનહોલમાં  બેસમેન્ટમાં પણ સ્ક્રીન લગાડવામાં આવી હતી અને પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને પગલે હાઉસફૂલ ટાઉનહોલ ઉપરાંત બેસમેન્ટમાં ૨૦૦ વ્યક્તિઓ સહિત કુલ ૧ હજારથી વધુ લોકો કાર્યક્રમના સાક્ષી બન્યા હતા અને ભગવાન મહાવીર સ્વામીની જીવનલીલા નિહાળી ધન્ય થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh