Advertisement
Author: નોબત સમાચાર

આઠ માળીયા આવાસમાં મકાનમાં ચોરીઃ લાખેક રૂપિયાના દાગીના ઉસેડાયા

તાળું તોડી તસ્કરોએ કર્યાે હાથફેરોઃ

જામનગર તા.૧૦ : જામનગરના આઠ માળીયા આવાસમાં વસવાટ કરતા એક રિક્ષાચાલક પોતાનું મકાન બંધ કરીને બહાર ગયા પછી તેમના મકાનમાંથી રૂ.૯૫ હજારના દાગીનાની ચોરી થઈ ગઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના આઠ માળીયા આવાસના બ્લોક નં.સી-૧/૬૦૮મા વસવાટ કરતા અને રિક્ષા ડ્રાઈવીૅગનો વ્યવસાય કરતા અમિતભાઈ સુરેશભાઈ બડધા નામના આસામીના મકાનમાં ગઈ તા.૨ની બપોર પછીના સમયમૉ ચોરી થઈ છે.

આ આસામી પોતાનું મકાન બંધ કરીને બહાર ગયા પછી તેમાં તાળુ તોડી કોઈ તસ્કરો ઘૂસી ગયા હતા. તે મકાનમાંથી સોનાનો ચેઈન, પોણા તોલા સોનાના પાટલા, અઢી તોલાની સોનાની વીટી મળી કુલ રૂા.૯૫ હજારના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા છે. ઘેર પરત આવેલા અમિતભાઈને ચોરીની જાણ થતાં તેઓએ ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh