Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં હીટવેવની આઝાદી સંદર્ભે
જામનગર તા. ૧૦: જામનગર જિલ્લાના ખેડૂતો હીટવેવ સામે પાકને રક્ષણ આપી શકે તથા તેઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ તે અંગે જામનગર ખેતીવાડી શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
જે મુજબ, ખેડૂતોએ ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવાં પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું. ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું. બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી. પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે ચોખ્ખુ અને ઠંડું પાણી આપવું. પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્ય યુક્ત આહાર આપવો અને ઓછી ગરમીનાં કલાકોમાં ચરાવવા માટે લઈ જવાં. બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહી.
કૃષિ હવામાન એડવાઇઝરી સેવાઓ માટે મેઘદુત મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને હવામાનની આગાહી અંગેની માહીતી ખેડૂતોને તેમના સ્થાન, પાક અને પશુધન માટે તેમની સ્થાનિક ભાષામાં સલાહ પ્રદાન કરશે. લીંક પર ક્લિક કરવાથી એપ્લીકેશન ડાઉનલોડ થઇ શકશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ. ગોહિલએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial