Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણના ધ્રોલ પંથકના ગુન્હામાં આરોપી મુક્ત

સાડા છ વર્ષ પહેલાં નોંધાયો'તો ગુન્હોઃ

જામનગર તા.૧૦: ધ્રોલ પંથકમાંથી સાડા છ વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ કરી જવા અંગે પરપ્રાંતીય શખ્સ સામે ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને મુક્ત કર્યાે છે.

ધ્રોલ પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સત્તર વર્ષ ની વયવાળી પુત્રીનું વર્ષ ૨૦૧૮માં અપહરણ કરી જવા અંગે દીપક કમલકુમાર મોર્ય નામના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી આરોપી દીપક મોર્યની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ ગિરીશ સરવૈયા, ઋષીરાજ જેઠવા, અજય ગામણાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh