Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયા તા. ૧૦: જામનગર જિલ્લાના જોડિયામાં સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર 'રામવાડી' જયશ્રી ભોલેબાબા આશ્રમમાં આ વર્ષે પણ હનુમાન જ્યંતીની ઉજવણી કરવામાં આવશે. જેમાં પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદ્ગુરૂદેવશ્રી ભોલેબાબાના આશીર્વાદથી તા. ૧ર-૪-ર૦રપ ના સવારે ૭ વાગ્યે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાન મહારાજ દાદાનું બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજન સવારે ૯ થી ૧૧ સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈ સાથે પાંચ કુંડનો હોમાત્મક યજ્ઞ, બપોરે ૧ર વાગ્યે ઢોલ-નગારા સાથે હનુમાનજી મહાઆરતી, ત્યારપછી આમંત્રિત મહેમાનો માટે મહાપ્રસાદ સાંજે ૪ થી ૭ સંગીત સોથ સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, ધૂન અને સંકીર્તન, દીપમાળા સાથે મહાઆરતી કરવામાં આવશે. યજ્ઞમાં બેસવા માંગતા ભાવિકોએ 'રામવાડી' આશ્રમમાં નામ નોંધાવવાનું રહેશે. સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી આશ્રમ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial